Priyank Kharge

Congress: મલ્લિકાર્જુનના પુત્ર પ્રિયાંક ખડગેની જાહેરાત, કહ્યું- ‘કેન્દ્રની સત્તામાં આવીશું તો RSS પર પ્રતિબંધ મૂકીશું…’

નવી દિલ્હી, 01 જુલાઇઃ Congress: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેએ જાહેરાત કરી છે કે જો કોંગ્રેસ ફરીથી કેન્દ્રમાં સત્તામાં આવશે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ પર દેશભરમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સતત આરએસએસની ટીકા કરી રહ્યા છે અને સંગઠન પર દેશને વિભાજીત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. પરંતુ પ્રિયાંક ખડગેએ RSS પર દેશવ્યાપી પ્રતિબંધની વાત કરીને એક નવી ચર્ચા શરૂ કરી છે.

તેમણે કહ્યું કે દેશમાં કોણ નફરત ફેલાવી રહ્યું છે, કોમી હિંસા માટે કોણ જવાબદાર છે, બંધારણ બદલવાની વાત કોણ કરી રહ્યું છે? પ્રિયાંક ખડગેએ કહ્યું કે RSS તેના રાજકીય પાંખ ભાજપને એવો સવાલ કેમ નથી પુછતી કે દેશમાં બેરોજગારી કેમ વધી રહી છે, પહેલગામમાં આતંકવાદી હુમલો કેવી રીતે થયો? જેવા મહત્વપૂર્ણ પ્રશ્નો કેમ નથી પૂછતું? આ પૂછવાને બદલે સંઘના લોકો સમાજમાં નફરત ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે સત્તામાં આવ્યા પછી કાયદાકીય પ્રક્રિયા હેઠળ દેશમાં RSS પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ પણ વાંચોઃ Accident Case: નારોલમાં દારૂના નશામાં ધૂત બેફામ ટ્રક ચાલકે અનેક વાહનોને લીધા અડફેટે જેમાં એકનું મોત નીપજ્યુ- વાંચો વિગત

કર્ણાટક સરકારમાં મંત્રી પ્રિયાંકે કહ્યું કે શું ED, IT જેવી બધી તપાસ એજન્સીઓ ફક્ત વિપક્ષ માટે છે, સરકાર RSSની તપાસ કેમ નથી કરતી, પૈસા ક્યાંથી આવી રહ્યા છે, તેમની આવકનો સ્ત્રોત શું છે. પ્રિયાંક ખડગેએ કહ્યું કે સંઘના લોકો દર વખતે નફરતભર્યા ભાષણ અને બંધારણ બદલવાની વાત કરીને કેવી રીતે છટકી જાય છે, આર્થિક ગુનાઓ કર્યા પછી તેઓ કેવી રીતે છટકી જાય છે, આ બધા મુદ્દાઓની તપાસ થવી જોઈએ.

ખરેખર, પ્રિયાંક ખડગેએ BJP સાંસદ તેજસ્વી સૂર્યાના જવાબમાં X પર પોસ્ટ કરી હતી, જેમાં સૂર્યાએ મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ હાઈકમાન્ડ વિશે પ્રશ્ન કર્યો હતો. પ્રિયંકે પૂછ્યું, ‘ભાજપ હાઈકમાન્ડ કોણ છે? તમારા મોટાભાગના કાર્યકરો તમારા રાષ્ટ્રીય પક્ષના પ્રમુખનું નામ પણ કહી શકતા નથી, તેમના માટે મોદી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કદાચ પંચાયત સચિવ, ત્રણેય છે.’

પ્રિયંક ખડગેએ કહ્યું, ‘જ્યારે પરિસ્થિતિ મુશ્કેલ બને છે, ત્યારે વડાપ્રધાન સંસદમાં જતા નથી, પરંતુ RSSને રિપોર્ટ કરવા નાગપુર જાય છે.’ તેમણે તેજસ્વી સૂર્યાને પડકાર ફેંક્યો અને કહ્યું, ‘હું તમને પડકાર ફેંકું છું કે મોટેથી કહો – મને RSSની જરૂર નથી, હું ચૂંટણી જીતી શકું છું કારણ કે મોદીજી અને નડ્ડાજી મારા એકમાત્ર હાઈકમાન્ડ છે, હવે અને હંમેશા.’

પ્રિયંક ખડગેએ આવું નિવેદન આપ્યું હોય તેવું આ પહેલી વાર નથી. બે વર્ષ પહેલાં પણ કર્ણાટકના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ સંગઠન રાજ્યમાં શાંતિ ભંગ કરવાનો અથવા સાંપ્રદાયિક વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરશે, તો સરકાર તેના પર પ્રતિબંધ મૂકવામાં બિલકુલ અચકાશે નહીં. કોંગ્રેસે કર્ણાટકમાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે રાજ્યમાં સત્તામાં આવતાની સાથે જ તે બજરંગ દળ, પીએફઆઈ સહિત જાતિ અને ધર્મના આધારે સમુદાયો વચ્ચે નફરત ફેલાવતી તમામ સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરશે અને તેમના પર પ્રતિબંધ મૂકશે.

પ્રિયંક ખડગેએ આ ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે અમે કાયદા અનુસાર જ કાર્યવાહી કરીશું અને એવા લોકો સામે પણ કાર્યવાહી કરીશું જે કાયદો તોડશે. જ્યારે પ્રિયાંકને પૂછવામાં આવ્યું કે શું સરકાર આરએસએસ અને બજરંગ દળ પર પણ પ્રતિબંધ મૂકશે? આના પર તેમણે કહ્યું, ‘શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરતી કોઈપણ સંસ્થા કે વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે. ભલે તે હું જ હોઉં?’

આ પણ વાંચોઃ Heavy Rain Alart: છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં અતિભારે વરસાદ, હજી ગુજરાતના 13 જિલ્લામાં વરસાદનું એલર્ટ