ASIએ MP હાઈકોર્ટની ઈન્દોર બેંચમાં ભોજશાળાનો સર્વે રિપોર્ટ રજૂ કર્યો છે. ભારતીય પુરાત્વ સર્વેક્ષણ દ્વારા ખોદકામ દરમિયાન, દેવી-દેવતાઓની 37 શિલ્પો મળી આવી છે, જે સ્થળને નોંધપાત્ર ઐતિહાસિક મહત્વ આપે છે. જણાવી દઈએ કે, ASIએ ખૂબજ કાળજીપૂર્વક રિપોર્ટ તૈયાર કર્યા છે. આ રિપોર્ટના આધારે હાઈકોર્ટમાં કેસની સુનાવણી થવાની છે. જેની આગામી સુનાવણી 22 જુલાઈએ થશે.

