Aishwarya Abhishek

Aish on Abhishek Relationship: અભિષેક- એશની તલાકની ખબરો ફરી જોર પકડ્યુ, અભિનેત્રીએ કહ્યું હતું કે સમાધાન કરવું પડશે- વાંચો વિગત

બોલિવુડ ડેસ્ક, 05 નવેમ્બરઃ Aish on Abhishek Relationship : ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નજીવનમાં સતત અણબનાવની ખબરો સામે આવી રહી છે. તાજેતરમાં જ અભિષેકે એશને તેના જન્મદિવસની શુભેચ્છા પણ આપી ન હતી. જે બાદ છૂટાછેડાના સમાચારો જોર પકડી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઐશ્વર્યાએ તેના અને અભિષેકના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે રિલેશનશિપમાં ઘણું સમાધાન કરવું પડે છે. અભિનેત્રીનું આ નિવેદન હવે ફરી લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

ફિલ્મફેર સાથે વાત કરતી વખતે અભિનેત્રીએ પહેલીવાર પોતાના લગ્ન જીવન વિશે ખુલીને વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું- ‘કોઈપણ સંબંધમાં ઘણું સમાધાન કરવું પડે છે. આપવા અને લેવાનું ઘણું છે. કેટલીકવાર તમે સંમત થતા નથી, કેટલીકવાર અન્ય વ્યક્તિ સહમત નથી. પરંતુ ગમે તે થાય, બંને લોકોએ હંમેશા એકબીજા સાથે વાત કરતા રહેવું જોઈએ. હું આ બાબતમાં માનું છું.

આ પણ વાંચોઃ Us presidential Election: દુનિયામાં સૌની નજર અમેરિકાની ચૂંટણી પર, ડોનાલ્ડ ટ્રમ્પની ટક્કર કમલા હેરિસ સાથે- કાઉન્ટડાઉન શરૂ

ઐશ્વર્યાએ આગળ કહ્યું – ‘અભિષેક હંમેશા આ વાતનું સન્માન કરે છે. કોઈપણ સંબંધમાં વાતચીત મહત્વપૂર્ણ છે. શું આ મિત્રતા નથી? હું એવા લોકોમાંનો નથી કે જેઓ કહેશે કે તેને હમણાં માટે રહેવા દો અને કાલે તેના વિશે વાત કરીએ. કાલે વાત કરવાની જરૂર હશે તો કરીશું. બંને લોકોએ એકબીજાને માન આપવું જોઈએ અને સંવેદનશીલ બનવું જોઈએ.

ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચેના સંબંધોમાં ખટાશ પાછળનું કારણ નિમ્રત કૌર પણ છે. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘દાસવી’ના શૂટિંગ દરમિયાન નિમરતને અભિષેક સાથે પ્રેમ થઈ ગયો હતો. જોકે પછી બંને અલગ થઈ ગયા.

આ પણ વાંચોઃ Canada Hindu Temple Attack: કેનેડામાં ખાલિસ્તાની હુમલા બાદ હિન્દુઓમાં ભારે આક્રોશ, PM મોદીએ કરી કડક નિંદા