Vijay Rupani Last Tribute

Tribute: રાજકીય સન્માન સાથે પૂર્વ CM વિજય રૂપાણીને અપાઈ અંતિમ વિદાય, કેન્દ્રીય ગૃહમંત્રી સહિત અનેક રાજકીય નેતાઓ રહ્યાં હાજર

રાજકોટ, 16 જૂનઃ Tribute:ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તેમના અંતિમ દર્શન માટે અનેક દિગ્ગજ રાજકીય નેતાઓ આવી પહોંચ્યા છે. જેમા ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી, સી.આર.પાટીલ, રાજ્યપાલ, કુમાર સ્વામી, સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના રાજકીય અગ્રણીઓ સામેલ છે. વિજય રૂપાણીના નિવાસસ્થાનની બાજુમાં આવેલા મહાદેવ મંદિરે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ જે બાદ તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Heavy Rain: રાજ્યમાં 8 કલાકમાં 101 તાલુકામાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ- વાંચો વિગત

વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં આ રાજકોટ ભાજપના તમામ નેતાઓ સહિત વિપક્ષના નેતાઓ પણ પહોંચ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ તેમના લોક લાડીલા નેતાને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા છે. વિજય રૂપાણીના આકસ્મિક મૃત્યુથી રાજકોટવાસીઓ ઘેરા આઘાતમાં છે અને સમગ્ર રાજકોટ શહેરમાં એક ગમગીની છવાઈ ગઈ છે.

આજે રાજકોટના વિવિધ માર્ગો પરથી વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળી હતી, એ સમયે સમગ્ર રાજકોટવાસીઓ તેમના અંતિમ દર્શન માટે ઉમટ્યા હતા. પોતાના માનીતા નેતાની અણધારી વિદાય છે રાજકોટવાસીઓ ઘેરા શોકમાં ડૂબ્યા છે અને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રીએ કહ્યું, તપાસ રિપોર્ટ 3 મહિનામાં સોંપાશે- વાંચો વિગત