Mamta Kulkarni

Mamta kulkarni:મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદ પરથી હટાવાઇ, લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પાસેથી આચાર્ય મહામંડલેશ્વરનું બિરુદ પણ છીનવી લેવામાં આવ્યું

મનોરંજન ડેસ્ક, 03 ફેબ્રુઆરીઃ Mamta kulkarni: પ્રયાગરાજના સંગમ નગરીમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનેલા બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. મમતા કુલકર્ણીને હવે મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ સાથે, અખાડાના લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પાસેથી આચાર્ય મહામંડલેશ્વરનું બિરુદ પણ છીનવી લેવામાં આવ્યું છે. બંનેને કિન્નર અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

અભિનેત્રી મમતા કુલકર્ણીએ થોડા દિવસો પહેલા મહાકુંભમાં સંન્યાસની દીક્ષા લીધી હતી. સન્યાસ લીધા પછી, મમતા કુલકર્ણીને કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા, જેનો ભારે વિરોધ થયો અને કિન્નર અખાડામાં મોટો સંઘર્ષ શરૂ થયો.

આ પણ વાંચોઃ Kulgam Terrorist Attack: જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં નિવૃત સૈનિકની ગોળી મારી થઇ હત્યા, જેમાં પત્ની-પુત્રી ઘાયલ

ઉલ્લેખનીય છે કે, મમતાને મહામંડલેશ્વર બનાવવા પર ઘણા સંતોએ નારાજગી વ્યક્ત કરી છે. તેમના મતે, આવા પ્રતિષ્ઠિત પદ માટે વર્ષોની આધ્યાત્મિક શિસ્ત અને સમર્પણની જરૂર પડે છે. તો પછી મમતા એક જ દિવસમાં મહામંડલેશ્વર તરીકે કેવી રીતે ચૂંટાઈ ગઈ? બાબા રામદેવે પણ આ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું- કેટલાક લોકો, જે ગઈકાલ સુધી સાંસારિક સુખોમાં વ્યસ્ત હતા, તેઓ અચાનક એક જ દિવસમાં સંત બની ગયા છે, અથવા મહામંડલેશ્વર જેવા પદવીઓ મેળવી રહ્યા છે.

આ ઉપરાંત, ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, ‘કોઈપણ પ્રકારના બાહ્ય પ્રભાવ હેઠળ આવીને કોઈને સંત કે મહામંડલેશ્વર કેવી રીતે બનાવી શકાય?’ આપણે પોતે હજુ મહામંડલેશ્વર બન્યા નથી.’ ટ્રાન્સજેન્ડર વાર્તાકાર જગતગુરુ હિમાંશી સખીએ પણ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. ANI ને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું, ‘કિન્નર અખાડાએ આ ફક્ત પ્રચાર માટે કર્યું છે. સમાજ તેના ભૂતકાળને ખૂબ સારી રીતે જાણે છે. અચાનક તે ભારત આવે છે અને મહાકુંભમાં જાય છે અને તેને મહામંડલેશ્વરનું પદ આપવામાં આવે છે. આની તપાસ થવી જોઈએ.

આ પણ વાંચોઃ Swara Bhaskar: આ પોસ્ટના કારણે અભિનેત્રી સ્વરા ભાસ્કરનું એક્સ એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરાયુ, વાંચો વિગત