Sardar Sarovar Dam

Sardar Sarovar Dam: નર્મદામાં 2,45,000 કયુસેક પાણી છોડતા તંત્ર દ્વારા નદીના કિનારે આવેલા 25 ગામોને કરાયા એલર્ટ- વાંચો વિગત

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ Sardar Sarovar Dam: ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી ગુરૂવારે સવારે સરદાર સરોવર બંધનાં 15 દરવાજા 1.90 મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં 2,00,000 ક્યુસેક પાણી વહેશે.

નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં 06 મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 2,45,000 (45,000+ 2,00,000) કયુસેક પાણી છોડવામાં આવશે.

આ પણ વાંચોઃ Paris Paralympic 2024: પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ માટે કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, વાંચો વિગત

કલેકટર બીજલ શાહે જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત ૨૫ ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Health Department: કચ્છમાં શંકાસ્પદ બિમારીથી 15ના મોત નિપજ્યા, ગંભીરતાને જોતાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં- વાંચો વિગત

સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.