ધર્મ ડેસ્ક, 02 સપ્ટેમ્બરઃ Last Day of Shravan 2024: આજે પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે, સોમનાથમાં શ્રાવણના પાંચમા સોમવાર અને સોમવતી અમાસે ભક્તોનો શ્રદ્ધાસાગર ઉમટ્યો હતો.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સવારે 10 વાગ્યા સુધીમાં 35000 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા, સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ તીર્થ ઉમટયા હતા
श्री सोमनाथ महादेव मंदिर,
प्रथम ज्योतिर्लिंग – गुजरात (सौराष्ट्र)
दिनांकः 02 सितम्बर 2024, श्रावण अमावस्या – सोमवार
मध्याह्न श्रृंगार
09244993#somnath #mahadev #shivji#bhakti #somnathlivedarshan #somnathtemple pic.twitter.com/Ew9VfRkWXG— Shree Somnath Temple (@Somnath_Temple) September 2, 2024
આ પણ વાંચોઃ Ganesh Chaturthi 2024: ગણતરીના સમયમાં પધારશે વિઘ્નહર્તા, જાણો ગણેશ ચતુર્થીની તારીખ અને સ્થાપનાનો સમય
શિવજીની આરાધનાના શિવોત્સવ એવા શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂણ્ય અર્જન કરવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા

ઉલ્લેખનીય છે કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહપરિવાર સ્નેહીજનો સાથે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. આ વિશેષ અવસરે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા.


