T20 WCમાં ભારતની આગામી મેચ 15 જૂને ફ્લોરિડામાં કેનેડા સામે રમવાની છે. ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. ફ્લોરિડામાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચારેબાજુ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. આ કારણે ચાહકો ICC પાસે મેચ શિફ્ટ કરવાની માગ કરી રહ્યા છે.

