ગરમી સામે રક્ષણ આપવા સરકારે રાજ્યની તમામ આંગણવાડીનો સમય બદલ્યો છે. હવે આંગણવાડીનો સમય સવારે 7:30થી બપોરે 12:30 કલાક સુધીનો કરાયો છે. દરમિયાન સવાર અને બપોરનો નાસ્તો આપવામાં આવે છે. પહેલા આ સમય સવારે 9:30 થી બપોરે 3:30 કલાક સુધીનો હતો. હાલ ગરમીને કારણે બાળકોને ગ્લુકોઝ, ઓ.આર.એસ. અને લીંબુ શરબત આપવામાં આવે છે.

