ગુજરાતના પ્રવાસે આવેલા PM મોદીએ આજે સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી. આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતાં લોકોને કહ્યું કે, ‘હવે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે. તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો. તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય. તમારુ બીલ જીરો આવશે. આવનાર સમયમાં પીએમ ઈલેક્ટ્રોનિક વાહનોને લઈ સૂર્યઉર્જા ભરપુર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે’.

