Screenshot 2024 04 22 15 26 50 76 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x795

35 મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરી.

અમદાવાદમાં આજે 35 દીક્ષાર્થીએ એકસાથે સંયમનો માર્ગ અપનાવ્યો છે. 500 કરોડના આસામી ધર્મેશભાઇ અને તેમના પત્નિ, એક સગા ભાઇ-બહેન, યુવાનોનો દીક્ષાર્થીમાં સમાવેશ થાય છે. 10 મુમુક્ષુ 18 વર્ષથી નીચેની ઉંમરના છે. દરેક મુમુક્ષુએ રજોહરણ પ્રાપ્ત કરીને ઉત્સાહભેર નૃત્ય કર્યું હતું. આચાર્ય યોગતિલકસુરેશ્વરજી મહારાજ સાહેબના હસ્તે તમામે દીક્ષા ગ્રહણ કરી હતી. તમામે સાધુ અને સાધ્વી ભગવંતોના આશીર્વાદ લીધા હતા.