રાહુલ ગાંધીનો વધુ એક વાયદો
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એક મોટું વચન આપ્યું છે. તેલંગાણામાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે જો તેમની પાર્ટી સરકાર બનાવે છે તો દેશની મોટાભાગની સંપત્તિઓ પર કોનું નિયંત્રણ છે તે જાણવા માટે નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરવામાં આવશે. આ પહેલા તેમણે અગ્નિપથ યોજનાને રદ કરવા, MSPને કાયદાકીય ગેરંટી આપવા અને જાતિની વસ્તી ગણતરી કરવા સહિત ઘણા મહત્વપૂર્ણ વચનો આપ્યા હતા.

