AAP કોર્પોરેટરના ઘરમાં ભીષણ આગ
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વરાછામાં રહેતા આપ કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ત્યારે પરિવારના સભ્યોએ ધુમાડાના ઘોટા જોતા જ ઘરના ધાબે જઈ બાજુના ઘરે જવાનો પ્રયત્ન કર્યો, જેમાં ઘરના 6 સભ્યો કુદીને બચવામાં સફળ રહ્યા, પરંતુ ઘરમાં 17 વર્ષિય પુત્ર ફસાઈ ગયો હતો જેના કારણે તેનું મોત નિપજ્યું છે.

