નવી દિલ્હી, 09 ઓક્ટોબરઃ Arrested Indian student: રૂસ અને યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધ વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે તેમણે રૂસી સૈનિકો સાથે એક ભારતીય યુવકને પણ પકડ્યો છે. આ વિદ્યાર્થી ગુજરાતના મોરબીનો રહેનારો છે. એવુ પણ કહેવામાં આવ્યુ છે કે સાહિલે યુક્રેનની સેના સામે સરેંડર કર્યુ છે. આ પહેલા પણ રૂસી સેનામા ભારતીયોની ભરતી થવાના સમાચાર હતા. રૂસી અધિકારીઓએ 96 ભારતીયોને મુક્ત કરી દીધા અને તેઓ ભારત પરત આવ્યા છે.
યુક્રેને દાવો કર્યો છે કે તેમણે 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને રશિયન સૈનિકો સાથે પકડી લીધો છે. ગુજરાતના મોરબીનો રહેવાસી આ વિદ્યાર્થી માજોતી સાહિલ મોહમ્મદ હુસૈન તરીકે ઓળખાય છે. હુસૈન રશિયાની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયો હતો. ભારત સરકાર હાલમાં આ બાબતે માહિતી એકત્રિત કરી રહી છે.
Ukraine’s military says they have captured an Indian national who was fighting alongside Russian forces.
Majoti Sahil Mohamed Hussein is a 22-year-old student from Morbi, Gujarat, India & came to Russia to study at a university pic.twitter.com/Kzi5F4EDR4
— Sidhant Sibal (@sidhant) October 7, 2025
આ પણ વાંચોઃ Plane Accident: એક મોટી વિમાન દુર્ઘટના ટળી, પ્રાઈવેટ વિમાન રનવે પરથી લપસીને ઝાડીઓમાં ફસાયુ
અત્યાર સુધીમાં 150 થી વધુ ભારતીયોની ભરતી: નોંધનીય છે કે રુસો-યુક્રેનિયન યુદ્ધ દરમિયાન ઘણા ભારતીય નાગરિકો રશિયન સૈન્યમાં જોડાયા હોવાના અહેવાલો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, 2022 થી 150 થી વધુ ભારતીયોની ભરતી કરવામાં આવી છે. ઘણા ભારતીયોને એજન્ટો દ્વારા ઉચ્ચ વેતન અને સહાયક સ્ટાફ (જેમ કે ડૉક્ટરના સહાયક અથવા રસોઈયા) તરીકે નોકરીઓનું વચન આપીને રશિયા લાવવામાં આવ્યા હોવાનો આરોપ છે, પરંતુ બાદમાં તેમને છેતરવામાં આવ્યા હતા અને ફ્રન્ટ-લાઇન આર્મી યુનિટમાં લડવા માટે મોકલવામાં આવ્યા હતા.
સંઘર્ષમાં 12 ભારતીયોના મોત, આ સંઘર્ષમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 12 ભારતીયો માર્યા ગયા છે. અન્ય 16 લોકો ગુમ થયાના અહેવાલ છે.લુધિયાણાના સમરજીત સિંહ જેવા ઘણા યુવાનો, જેમને ડોક્ટરના સહાયક તરીકે નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું, તેઓ ગુમ થયાના અહેવાલ છે.
ભારત સરકારે વારંવાર ભારતીય નાગરિકોને રશિયન સૈન્યમાં જોડાવાના જોખમો અને ખતરાઓથી અવગત કરાવ્યા છે અને તેમને આવી નોકરીની ઓફર ટાળવાની સલાહ આપી છે. ઓગસ્ટ 2024 માં, રશિયન પક્ષે જાહેરાત કરી હતી કે રશિયન ફેડરેશનના સંરક્ષણ મંત્રાલયે એપ્રિલ 2024 થી તેના સશસ્ત્ર દળોમાં ભારતીય નાગરિકોની ભરતી બંધ કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

