Nepal PM KP Sharma Oli Resigns

Nepal PM Resigns: નેપાળમાં હિંસાને કારણે કાઠમંડુ અને નજીકના શહેરોમાં કર્ફ્યુ, વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપ્યું

નવી દિલ્હી, 09 સપ્ટેમ્બરઃ Nepal PM Resigns: નેપાળમાં સો.મીડિયા બેન બાદ હિંસા ચાલુ છે. આ દરમિયાન, નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત, ડેપ્યુટી પીએમ સહિત 10 મંત્રીઓએ અત્યાર સુધીમાં રાજીનામું આપી દીધું છે. વિરોધીઓ પાંચ માંગણીઓ સાથે એકઠા થયા છે. ઘણા શહેરોમાં ભારે હોબાળો મચી ગયો છે.નેપાળની બગડતી હાલત વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલીની રાજીનામાની માંગ થઈ રહી હતી. પ્રદર્શનકારીઓ કેપી ચોર અને દેશ છોડો જેવા નારા લગાવી રહ્યા હતા.

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભારત-નેપાળ સરહદ પર પાનીટાંકી હાઇ એલર્ટ પર છે. એસપી પ્રવીણ પ્રકાશે જણાવ્યું હતું કે, “અહીં એક પોલીસ ચોકી સ્થાપિત કરવામાં આવી છે અને પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. અમે એલર્ટ પર છીએ અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.”

આ પણ વાંચોઃ Property Dispute: કરિશ્મા કપૂરના બાળકોની હાઈકોર્ટમાં અરજી, પિતાની પ્રોપર્ટીમાં માંગ્યો ભાગ- વાંચો વિગત

નેપાળમાં તખ્તાપલ્ટ થઈ ગયો છે. વડાપ્રધાન કેપી ઓલીએ પોતાનું રાજીનામું આપી દીધું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પીએમના નામની જાહેરાત આજે સાંજ સુધીમાં થઈ શકે છે. બેકાબુ પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં આગ લગાવી દીધી છે.

તખ્તાપલટ શા માટે થાય છે અથવા તેની શક્યતાઓ ધીમે ધીમે કેવી રીતે મોટું સ્વરૂપ મેળવે છે તે જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. બળવો એ એવી પરિસ્થિતિ છે જ્યારે સૈન્ય, અર્ધલશ્કરી દળો અથવા વિરોધ પક્ષ દેશમાં ચૂંટણીઓ કરાવ્યા વિના વર્તમાન સરકારને બળપૂર્વક કાઢી મૂકે છે અને પોતે સત્તા પર કબજો કરે છે. જ્યારે લશ્કરી બળવા એટલે કે લશ્કરી તખ્તાપલટ, લશ્કર સરકારને હટાવે છે અને તેના નિયંત્રણ હેઠળની સરકાર સ્થાપે છે.

ઉલ્લેખનીય છે કે, નેપાળમાં સરકારે 26 સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. સરકારના આ આદેશ બાદ દેશમાં હોબાળો મચી ગયો હતો. યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. નેપાળમાં થયેલી હિંસક અથડામણ બાદ ભારત પણ એલર્ટ મોડ પર છે. ઉત્તર પ્રદેશના ઘણા સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ TA Recruitment-2024: શિક્ષણ સહાયક ભરતીની ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ થયુ જાહેર, આ રીતે ચેક કરો