મનોરંજન ડેસ્ક, 23 ઓગષ્ટઃ Divorce talk: ગઇકાલ શુક્રવારના રોજ જ્યારે ગોવિંદા અને સુનિતા આહુજાના અલગ થવાના અહેવાલો ફરી એકવાર સામે આવ્યા અને બાબત ચર્ચામાં આવી, ત્યારે ઇન્ટરનેટ પર ભારે ચર્ચા થઈ હતી. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે સુનિતાએ યુટ્યુબ પર તેના ભાવનાત્મક વ્લોગમાં છૂટાછેડાની અફવાઓનો ઉલ્લેખ કર્યો. જેનાથી ચાહકો અને મીડિયામાં અનેક અટકળો શરૂ થઈ. પરંતુ હાલમાં જ ગોવિંદા અને સુનિતાની દીકરી ટીના અહુજાએ આ અફવાઓ પર સ્પષ્ટતા આપી છે.
ટીનાને તેના માતાપિતા ગોવિંદા અને સુનિતા અહુજાના છૂટાછેડાના અહેવાલો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “આ બધી અફવાઓ છે, હું આ અફવાઓ પર ધ્યાન આપતી નથી.” જ્યારે તેને ફરીથી સામે આવેલા અહેવાલો પર તેમની કેવી પ્રતિક્રિયા છે તે પૂછવામાં આવ્યું ત્યારે તેણે આગળ કહ્યું. જ્યારે તેને વધુ પૂછપરછ કરવામાં આવી કે, તેના માતાપિતા ઓનલાઈન આવા અહેવાલોનો કેવી રીતે સામનો કરે છે, ત્યારે તેણે ખાતરી આપી, “શું બોલું હું? તેઓ દેશમાં પણ નથી,”
આ પણ વાંચોઃ Space Day: સ્પેસના ડેના અવસરે પીએમ મોદીએ કરી મોટી જાહેરાત, ‘ભારત અંતરિક્ષમાં પોતાનું સ્ટેશન બનાવશે..’
આગળ શેર કરતાં તેણે કહ્યું કે, “હું એક સુંદર પરિવાર મેળવીને ધન્યતા અનુભવું છું અને મીડિયા, ચાહકો અને પ્રિયજનો તરફથી અમને મળેલી બધી ચિંતા, પ્રેમ અને સમર્થન માટે હું ખરેખર આભારી છું.”
Sunita Ahuja alleges Cheating Cruelty and Desertion by Govinda in her Divorce Petition in Bandra Family Court as she broke down in tears #SunitaAhuja #Govinda #Divorce pic.twitter.com/Ec0euDed0g
— Nandini Idnani 🚩🇮🇳 (@nandiniidnani69) August 22, 2025
શુક્રવારે મોડી સાંજે, ગોવિંદાને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ જતા જોવામાં આવ્યો, જ્યાં તે સફેદ પોશાક પહેરીને હંમેશાની જેમ જ સુંદર દેખાતો હતો. તે કોઈ પણ પ્રકારનો તણાવ કે ચિંતામાં દેખાતો નહોતો.
ઉલ્લેખનીય છે કે, હાઉટરફ્લાય દ્વારા નોંધાયેલા દસ્તાવેજો અનુસાર, સુનિતા આહુજાએ 5 ડિસેમ્બર, 2024ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. તેણે હિન્દુ લગ્ન અધિનિયમ, 1955 ની કલમ 13 (1) (i), (ia), (ib) હેઠળ કેસ દાખલ કર્યો હતો, જેમાં વ્યભિચાર, ક્રૂરતા અને ત્યાગને આધાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. કોર્ટે ગોવિંદાને સમન્સ પાઠવ્યું હતું, પરંતુ મે 2025માં કારણ દર્શાવવા માટે નોટિસ જારી કરવામાં આવી ત્યાં સુધી તે રૂબરૂ હાજર થયો ન હતો.
અને જૂન 2025થી, આ દંપતી કોર્ટ દ્વારા ફરજિયાત કાઉન્સેલિંગમાંથી પસાર થઈ રહ્યું છે. સુનિતા અહુજા સુનાવણીમાં રૂબરૂ હાજર રહી રહી છે, પરંતુ ગોવિંદા પણ તેની સાથે હાજર રહે છે કે નહીં તે સ્પષ્ટ નથી.
આ પણ વાંચોઃ Shani Amavasya 2025: આજે શનિ અમાવસ્યા, વાંચો કુંડળીમાં ઉચ્ચ શનિ હોવાથી થતા લાભ વિશે…

