નવી દિલ્હી, 02 ઓગષ્ટઃ Rahul Gandhi Slams EC: રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના ‘એન્યુઅલ લીગલ કોન્ક્લેવ’ ને સંબોધતા તેમણે કહ્યું કે, ‘હવે દેશમાં ચૂંટણી પંચનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. હું હાલની ચૂંટણી પ્રણાલી વિષે વાત કરી રહ્યો છું. મને 2014થી જ શંકા હતી કે આમાં કંઈક ગડબડ છે. તમને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ શંકા હતી. કોઈ એક પાર્ટીની જંગી જીતનો ટ્રેન્ડ શંકા પેદા કરે છે.’
આ અંગે વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત (લોકસભા ચૂંટણીમાં)માં એક પણ સીટ ન મળી, તે મારા માટે આશ્ચર્યજનક હતું. જ્યારે પણ અમે આ વિશે વાત કરતા, ત્યારે લોકો પૂછતા કે પુરાવા ક્યાં છે? પછી મહારાષ્ટ્રમાં કંઈક થયું. લોકસભા ચૂંટણીમાં અમે જીતી ગયા અને પછી ચાર મહિના પછી, અમે માત્ર હાર્યા જ નહીં, પરંતુ સંપૂર્ણપણે ખતમ થઈ ગયા. ત્રણ મજબૂત પક્ષો અચાનક ગાયબ થઈ ગયા!’
Since 2014, I have had suspicions about the election system. The ability to win with a sweeping victory is surprising.
What happened in Maharashtra made me take this issue seriously. I couldn’t speak without proof, but now I say with no doubt that we have proof.
We will show… pic.twitter.com/oDPxTsXmJq
— Congress (@INCIndia) August 2, 2025
રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે ચૂંટણીની ગેરરીતિઓની ગંભીરતાથી તપાસ શરૂ કરી. અમને મહારાષ્ટ્રમાં જાણવા મળ્યું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે એક કરોડ નવા મતદારો ઉમેરાયા, જેમાંથી મોટાભાગના વોટ ભાજપને મળ્યા… હવે હું કોઈ શંકા વગર કહી શકું છું કે અમારી પાસે પુરાવા છે. અમારી પાસે એવા પુરાવા છે જે દર્શાવે છે કે ચૂંટણી પંચનું અસ્તિત્વ જ નથી.’
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, ચૂંટણી પંચ મતદાર યાદીની ડિજિટલ કોપી આપતું નથી. આ દસ્તાવેજોને સ્કેન કરી શકાતા નથી. ચૂંટણી પંચ એવી કોપી કેમ આપે છે જેને સ્કેન ન કરી શકાય? એક લોકસભા ક્ષેત્રમાં અમે મતદાર યાદીની તપાસ કરી અને જાણ્યું કે 6.5 લાખ મતદારોમાંથી 1.5 લાખ મતદારો નકલી હતા.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ધાંધલીનો આરોપ પણ લગાવ્યો. આ અંગે તેમણે કહ્યું કે, ‘અમે આ સાબિત કરીશું, હવે અમારી પાસે ડેટા છે. લોકસભા ચૂંટણીમાં ગોલમાલ થઈ શકે છે અને થઈ પણ હતી. ભારતમાં ચૂંટણી પંચનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. આ સાબિત કરવા માટે અમારી પાસે પુરાવા છે. જો તેમને 15-20 બેઠકો ઓછી મળી હોત, તો તેઓ (પીએમ મોદી) વડાપ્રધાન ન બન્યા હોત.’
How is the Lok Sabha election stolen?
Out of 6.5 lakh voters, we found 1.5 lakh to be fake. It’s all documented; we obtained physical papers from the Election Commission.
The election system in India is dead. Remember, the Prime Minister of India holds office with a very slim… pic.twitter.com/tdhyzIe7kd
— Congress (@INCIndia) August 2, 2025
રાહુલ ગાંધી સહિત વિપક્ષ છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી પંચ પર આક્ષેપો મૂકી રહ્યા છે. શુક્રવારે સંસદ ભવન પરિસરમાં મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમારી સાથે મહારાષ્ટ્ર ચૂંટણીમાં છેતરપિંડી થઈ હતી. અમે ચૂંટણી પંચને સવાલ પૂછ્યો હતો કે, મતદાર યાદી બતાવો, પરંતુ તેમણે બતાવી નહીં. વીડિયોગ્રાફી બતાવવા કહ્યું તો, વીડિયોગ્રાફીનો કાયદો જ બદલી નાખ્યો. મહારાષ્ટ્રમાં એક કરોડ નવા મતદારો આવ્યા હતા. પરંતુ ત્યાં મતો ચોરી લેવામાં આવ્યા.’
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘અમે હાલ કર્ણાટકમાં રિસર્ચ કર્યું છે. ત્યાં ભયંકર ચોરી પકડાઈ છે. અમે ચૂંટણી પંચને બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવીશું કે, તેણે કેવી રીતે અને ક્યાં ચોરી કરી. અમે તેમની ગેમ સમજી ગયા છીએ. અમે એક મત વિસ્તાર પસંદ કરી ઊંડાણપૂર્વક રિસર્ચ કર્યું. અમે તેમની ચોરી કરવાની આખી સિસ્ટમ શોધી કાઢી છે કે, કેવી રીતે ચોરી કરે છે, કોણ મત આપે છે, કોણ કરે છે, નવા મતદારો કેવી રીતે બનાવે છે, વગેરે… તેમણે બિહારમાં આખી સિસ્ટમ નવી રીતે ઘડી કાઢી છે. મતદારોને દૂર કરાશે અને નવેસરથી મતદાર યાદી જાહેર કરાશે.’
આ પણ વાંચોઃ Bigg Boss 19: સલમાન ખાન ફરીથી બિગ બોસને હોસ્ટ કરવા માટે તૈયાર, પ્રોમો થયો રિલીઝ

