ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના વાલીઓને રાહત મળી નથી. પરંતુ હવે રાજ્ય સરકારનો આ નિર્ણય તેમને રાહત આપનારો છે. સરકારે શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકોના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. હવે તમામ શાળાઓએ NCERT અથવા GCERT દ્વારા મંજૂર કરેલા પુસ્તકોનો જ ઉપયોગ કરવાનો રહેશે. આ નિયમનું પાલન તમામ શાળાઓએ કરવાનો રહેશે.

