જમ્મુ-કાશ્મીર પર ચીન અને પાકિસ્તાને આપેલા આવેલા સંયુક્ત નિવેદન પર ભારતના વિદેશ મંત્રાલયે તીખી પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયે કહ્યું કે, આ મુદ્દે અમારું વલણ પહેલા જેવું જ છે અને સંબંધિત પક્ષો તેનાથી વાકેફ છે. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. અન્ય કોઈ પણ પાસે આ મુદ્દા પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી.

