ભાજપ ઉમેદવાર નહિ બદલે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં આ નેતા ના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ મતદાન કરશે

રાજપુત સમાજની સંકલન સમિતિ ની બેઠક પૂર્ણ

જિલ્લે જિલ્લામાં પરસોતમ રૂપાલા ના પૂતળા દહન નો નિર્ણય લેવાયો

આવેદન પત્રો અપાશે

રાજકીય અન્યાય સામે પણ વિરોધ

અમારે ભાજપ સામે વિરોધ નથી, પરષોત્તમ રૂપાલા સામે વિરોધ છે

6f3fce7c 5404 4c41 A640 B6f5f0afc024 300x172

અમદાવાદ ના ગોતામાં રાજપૂત સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા,રાજકોટ ના કાર્યક્રમમાં પરષોતમ રૂપાલા એ આપેલ વિવાદિત નિવેદન ને લઈને રોષ જોવા મળી રહ્યો છે.. સુરેન્દ્રનગર બાદ અમદાવાદ માં ન 70 ક્ષત્રિય સમાજ સંસ્થાઓના વડા એકઠા થયા હતા.. જેમાં રૂપાલા સામે કાયદાકીય પગલાં લેવા અને એકમત થઈને લડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.. આ સાથે જ લોકસભામાં એકપણ સીટ પર રાજપૂત સમાજ ને ટિકિટ ના આપીને અપમાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.. જેને લાઈને આગામી દિવસોમાં રાજપુત સમાજ લોકસભામાં કઈ પાર્ટી તરફ વલણ રાખવું તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી..

રૂપાલા વિરૂદ્ધ ક્ષતિય મહિલા આગેવાન ગીતા બા પરમાર
બોપલ પો.સ્ટે.ફરિયાદ આપી. હાલ ઘાટલોડિયા પો.સ્ટે. પહોચ્યા છે..ત્યાંથી નરોડા પો.સ્ટે.પણ ફરિયાદ આપવા જશે