ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર આગેવાન નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. તેઓના જન્મદિવસે જ જયેશ રાદડિયા સાથેના કોલ્ડ વોર મામલે જણાવ્યું હતું કે, રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાદડિયાએ જણાવ્યું કે આગામી સમયમાં સમાજના લોકો પાટીદારના સરદાર કોને બનાવવો છે તે નક્કી કરશે.

