12 જૂલાઈના રોજ અનંત અને રાધિકાના મુંબઈના જિયો વર્લ્ડ કન્વેશન સેન્ટરમાં લગ્ન સમારંભ યોજાવવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકાના લગ્ન પૂર્વ સમારંભના ભાગરુપે, નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ સમાજના ગરીબ વર્ગના યુવાનોના એક સામૂહિક લગ્નનું આયોજન કર્યું છે. આ લગ્ન સમારંભ 2 જૂલાઈએ સાંજના 4 વાગ્યાથી પાલગઢના સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરમાં આયોજીત કરવામાં આવશે.

